Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ઉમરેઠની હમીદપુરા ચોકડી નજીક પુરપાટ ઝડપે જતી રીક્ષા પલટી ખાતા 6ને ઇજા

ઉમરેઠ: તાલુકાના હમિદપુરા ચોકડી પાસેથી સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક રીક્ષા પલ્ટી મારી જતાં છ મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે રીક્ષાના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


અકસ્માતની મળતી વિગતો અનુસાર ગત ડાકોર ખાતે રહેતા ફરિયાદી રાવજીભાઈ અમરાભાઈ ભરવાડના વાસદ ખાતે રહેતા ભાણાના લગ્ન હોય ગત ૨૫મી તારીખના રોજ રાવજીભાઈ તથા કુંટુંબના કનુભાઈ, મીતેશભાઈ, અનુબેન, જોગાબેન, ગીતાબેન, હિતેશભાઈ રીક્ષા નંબર જીજે-૨૩, એક્સ-૪૪૬૮માં બેસીને વાસદ જવા નીકળ્યા હતા. રીક્ષા અગિયાર વાગ્યાના સુમારે હમિદપુરા ચોકડી પાસેથી પસાર થતી હતી ત્યારે એકદમ જ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેમાં છ મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતા તેઓને તુરંત જ સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

 

(6:36 pm IST)