Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

ઉમરેઠના હમીદપુરામાં લગ્નમાં વરઘોડા દરમિયાન 8 શખ્સોએ મારામારી કરી ધમકી આપતા ગુનો દાખલ

ઉમરેઠ:તાલુકાના હમીદપુરા ગામે ગઈકાલે રાત્રીના સુમારે નીકળેલા એક વરઘોડા દરમ્યાન ક્ષત્રિયો અને પટેલો વચ્ચે મારામારી ગામમાં ભયનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતુ. મારામારીમાં ચારને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે આઠ શખ્સો વિરૂધ્ધ રોયોટીંગ વીથ લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર હમીદપુરા ગામે રહેતા લાલજીભાઈ ડાભુભાઈ સોલંકીના પુત્ર ભાવેશના લગ્ન હોય ગઈકાલે રાત્રીના સુમારે ગામમાં વરઘોડો નીકળ્યો હતો. દરમ્યાન ચોકમાં આવતાં લાલજીભાઈના મિત્ર જીતેન્દ્રભાઈ પટેલને પણ કંકોત્રી હોય તેઓ હિરેનભાઈ ચાંલ્લો કરવા માટે ગયા હતા જ્યાં અશોકભાઈ કિશનભાઈ સોલંકી, જીવાભાઈ ભયજીભાઈ સોલંકી તથા જયરાજભાઈ રમેશભાઈ સોલંકી દ્વારા ગમે તેવી ગાળો બોલીને તુ અમારા વરઘોડામાં કેમ આવ્યો છુ તેમ જણાવીને ત્રણેય દ્વારા ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતુ. સંતોષભાઈ વચ્ચે છોડાવવા પડતાં તેમને નગીનભાઈ મણીભાઈ સોલંકી, પવનભાઈ વિનુભાઈ સોલંકી તથા વંદનકુમાર રોહિતભાઈ સોલંકીએ માર માર્યો હતો. જયદિપકુમાર તથા વૃતાંગભાઈને પણ હર્ષદભાઈ નટુભાઈ સોલંકી તથા પ્રકાશભાઈ અશોકભાઈ સોલંકીએ માર મારીને ગમે તેવી ગાળો બોલી હતી.

ત્યારબાદ શીતલબેને ગળામાં પહેરેલો ચાર તોલા વજનનો સોનાનો દોરો અને સંતોષભાઈએ પહેરેલો અઢી તોલા વજનનો દોરો તોડીને લૂંટી લીઘો હતો. ભારે હોહા થતાં વડિલોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. દરમ્યાન તમામ શખ્સોએ આજે તો પટેલો બચી ગયા છો, ફરીથી જો અમારા વરઘોડામાં આવશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી હતી. આ અંગે પોલીસે આઠેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:36 pm IST)