Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

અમદાવાદ રાજસ્થાન સંઘના આંગણે અભયકુમારનો દિક્ષા મહોત્સવ

રાજકોટ, તા.૩૦ : રાજનગર અમદાવાદના આંગણે શ્રી રાજસ્થાન સ્થાનકવાસી સંઘ અને શ્રી સાધુમાર્ગી શાન્તક્રાન્તિ જૈન શ્રાવક સંઘ, શાહીબાગના ઉપક્રમે સમતાવિભૂતિ આચાર્ય પ્રવર શ્રી નાનેશજી અને શાસનશણગાર પૂ.આ.શ્રી વિજયરાજજી મ.સા.ની આજ્ઞા અને આશીર્વાદથી સ્થવિર પ્રમુખ મુનિશ્રેષ્ઠ શ્રીપ્રેમચંદજી મ.સા.ની નિશ્રા અને શાસન પ્રભાવિકા પૂ.વિદુષી શ્રી સ્વર્ણપ્રભાશ્રીજી ડો.ચિન્મયશ્રીજી મ.આદિ પૂ.સાધુ સાધ્વીજીવિશાળ વૃન્દની ઉપસ્થિતિમાં અમદાવાદ નિવાસી રમેશભાઈ અને ધનુદેવીના લાડકવાયા સુપુત્ર સી.એ. અભયકુમાર ભંડારી (ઉ.વ.૨૪) ની તા.૨૭ને શુક્રવાર સવારના શ્રી સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક શાહીબાગમાં જૈન ભાગવતી પ્રવજયા અંગીકાર કરી હતી.

મહોત્સવ માટે શ્રી રાજસ્થાન સંઘ, શ્રી સ્થા.જૈન મેવાડ સંઘ, શ્રી અ.ભા. સાધુમાર્ગી સંઘ, શ્રી શાન્ત ક્રાન્તિ શ્રાવક સંઘ, શ્રી પારસ મહિલા મંડળ, શ્રી રાજ.સ્થા. યુવક સંઘ, શ્રી જૈન યુવક સંઘ (રાજ.) તથા શ્રી સંઘના ટ્રસ્ટીઓ અને દિક્ષાર્થી પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવેલ. નરેન્દ્રભાઈ કામદાર (ગઢડાવાળા)એ સંયમ જીવનની અનુમોદના રૂપે એકપાત્રીય નાટક રજૂ કરેલ.(૩૦.૨)

(2:54 pm IST)