Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇકબાલ પટેલનું નિધન

ભરૂચ, તા.૩૦ : વાગરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પીઢ આગેવાન એવા દેરોલ ગામના ઇકબાલભાઇ પટેલનું મુંબઇમાં સારવાર દરમિયાન અવસાન થયું છે..

ઇકબાલભાઇ પટેલે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી. ૧૯૯૮માં અને ૨૦૦૭માં તેમણે વાગરા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાઇને ધારાસભ્ય તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. કેટલાક સમયથી તેઓ બીમારગ્રસ્ત થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ મુંબઇની સૈફી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. રાજયસભાના સાંસદ અહેમદભાઇ પટેલે દ્યેરા શોકની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે ઇકબાલ પટેલના રાજકીય પ્રવેશ અને ત્યારપછીના સતત પુરુષાર્થના કારણે જનપ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયતમાં સારા અને સફળ વહીવટકર્તા તરીકે અને સંગઠનમાં પણ પ્રદેશ કક્ષાએ મહામંત્રી પદ સુધી પહોંચી શકયા હતા. તેમના નિધનથી માત્ર કોંગ્રેસ પક્ષને જ નહિં પરંતુ જાહેર જીવનમાં પણ એમની ખોટ લાંબા સમય સુધી ચાલશે. .

જયારે અખીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અશોક ગેહલોત, રાજીવ સાતવ, પ્રદેશપ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ શોકની લાગણી વ્યકત કરી હતી.

(2:41 pm IST)