Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

તાપીના વ્યારામાં શાકભાજીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો વિફર્યા : વેપારીઓના સ્ટોલને આગ ચાંપી

તાપી જિલ્લાના વડા મથક વ્યારામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો નહિ મળતા ખેડૂતો વિફર્યા હતા અને વેપારીઓના સ્ટોલને આગ ચાંપી હતી ખેડૂતોને ઉત્પાદન કિંમત કરતા પણ ઓછા ભાવો મળતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી રકજગ ચાલી રહી હતી.

    આ ઘટનાને પગલે આજે ખેડૂતોને જાણ કરાયા વગર વેપારીઓ અને સત્તાધીશો દ્વારા માર્કેટીંગ યાર્ડ બંધ રખાતા મહામહેનતે પોતાનો માલ લઈને આવેલા ખેડૂતો રોષે ભરાયા હતા.જો કે રોષે ભરાયેલા ખેડૂતોએ વેપારીઓના સ્ટોલને આગ ચાંપી દીધી હતી, જેને લઈને થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

 

(11:26 pm IST)