Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

અંકલેશ્વરમાં ધોળેદિવસે તસ્કરો ત્રાટક્યા : પતિ-પત્ની મકાન બંધ કરીને નોકરીએ ગયાને સોના ચાંદીના દાગીના ચોરી તસ્કરો ફરાર

અંકલેશ્વરમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા હતા શહેરમાં આવેલ રામનગર સોસાયટીનાં એક મકાનમાં તસ્કરો ત્રાટકી સોના ચાંદીનાં દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

   પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં આવેલ રામનગર સોસાયટીનાં મકાન નંબર 108માં રહેતા શેતલભાઈ પટેલ અને તેમના પત્ની મકાન બંધ કરી નોકરીએ ગયા હતા. એ દરમિયાન ધોળે દિવસે તસ્કરો તેમના ઘરનાં ધાબાનાં ભાગેથી મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરી માંથી રૂપિયા 11000 ઉપરાંતની કિંમતનાં સોના ચાંદીનાં દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

સેતલ પટેલ નોકરી પરથી ઘરે પરત ફરતા તેઓને ચોરી અંગેની જાણ થઇ હતી અને તેઓએ બનાવ સંદર્ભે શહેર પોલીસે ફરિયાદ નોંધાવી હતી.

(11:29 pm IST)