Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

વલસાડમાં ટ્રેન અડફેટે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરૂણ મોત :ટ્રેન ઉભી રાખી સન્માન પૂર્વક મોરને બહાર કાઢી વન વિભાગને કરાઈ જાણ

વલસાડ નજીક ટ્રેન અડફેટે આવી જતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો જોકે, રાષ્ટ્રીય પક્ષીની ગરીમાં જાળવી ટ્રેન થોભાવી દઈ મૃતક મોર ને બહાર કાઢવામાં આવ્યો હતો અને સંબંધિત વિભાગ ને જાણ કરવામાં આવી હતી.
વિગતો મુજબ મુંબઇ તરફ જતી ટ્રેન નંબર 02954 અગસ્ત ક્રાંતિ પાયલોટ ની સૂચના અનુસાર રાષ્ટ્રીય પક્ષી મોર વલસાડ અને ડુંગરી સ્ટેશન વચ્ચે એન્જિનના કપલિંગમાં ફસાઇ ગયો હતો પરિણામે મોરનું મૃત્યુ થઈ ગયું હતું.
આ અંગે જાણ થતાં જ વલસાડ સ્ટેશન પર ટ્રેન ઊભી રાખી અને સન્માન પૂર્વક મોરને મૃત અવસ્થામાં બહાર કાઢવામા આવ્યો હતો અને વન વિભાગ ને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી આવી મોરને ચણવઇ ફોરેસ્ટ ખાતે લઈ ગયા જ્યાં મોરના અંતિમ સંસ્કાર કરાશે

(11:27 am IST)