Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સુરતઃ બંગાળી પરણિતાને PSI ભગાડી જતાં પતિએ કોર્ટમાં કરી ફરિયાદ

પીએસઆઇ અને પરિણીતા પ્રેમમાં પડયા!

સુરત તા. ૩૦ : કામરેજના પીએસઆઈ સમીર પરમાર પર આરોપ છે તેઓ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની એક બંગાળી પરણિતાને ભગાડી લઈ ગયા છે. આ અંગે પરણિતાના પતિએ અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને અંકલેશ્વર જીઆઈડીસીના કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા દેવદાસ બિશ્વાસની પત્ની ચંદા સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસાઈ સમીર પરમાર ભગાડી ગયા હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી છે.

ફરિયાદ મુજબ પરણિતા ગત ૨૭ ઓકટોબરના રોજ સાંજે ઘરેથી નીકળી હતી પરંતુ હજુ સુધી ઘરે પરત આવી નથી. આ અંગે ત્રણ દિવસ શોધખોળ કર્યા બાદ પતિ દેવદાસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે પત્નિ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ દેવદાસનો આક્ષેપ છે કે તેની પત્નીને પીએસઆઈ સમીર પરમાર ભગાડી ગયો છે.

આક્ષેપ એવો છે કે જયારે સમીર પરમાર ભરૂચના વાલીયામાં ફરજ પર હતા તે સમયે આ દંપતિ નર્મદાજિલ્લાના દેડીયાપાડામાં રહેતું હતું. આ સમયે પરણિતા અને પીએસઆઈ એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.

ધીરે ધીરે બંને વચ્ચેનું અંતર ઘટ્યું અને એક બીજાના પ્રેમમાં પડ્યા. આ અંગે પરિણિતાના પતિને શંકા હતી. જોકે એક દિવસ પત્નિ ઘરેથી કહ્યા વગર જતી રહી અને તે આજ સુધી તે ઘરે પરત આવશે તેની રાહ જોઈ રહ્યો છે.

બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનું કહેવું છે કે આ અંગે પરણિતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેણે કહ્યું કે તેને પતિ સાથે રહેવું નથી.(૨૧.૭)

(9:51 am IST)