Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સુરતમાં જાહેર સ્થળે ચારથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ: સભા સરઘસ કાઢવાની મનાઈ

તા, 30થી સમગ્ર શહેરમાં 15 દિવસ સુધી પ્રતિબંધનાત્મક આદેશ કરતા પોલીસ કમિશનર અજયકુમાર તોમર

સુરત : સુરત શહેરમાં  અનુક્રમણની સ્થિતિ અને આગામી ધાર્મિક તહેવારો તેમજ રેલી સભા સરઘસ કાર્યક્રમો યોજવામાં આવતા હોય જેથી જાહેર સલામતી અને તકેદારીના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત શહેરમાં જાહેર સ્થળે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાડ્યો છે આ ઉપરાંત કોઈપણ સભા ભરવી, બોલાવવી,નહીં અને કોઈપણ સભા સરઘસ કાઢવા પર તા, 30 થી તા, 13 રાત સુધી પ્રતિબંધ મુક્યો છે આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

(10:46 pm IST)