Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સુરત અલ્પેશ કથીરીયાના રાજદ્વોહ કેસમાં જામીન રદ કરવા પોલીસ કાર્યવાહી : ટપોરીને સાથ આપવો કે કાયદાને?

કથિરિયાની બેફામ અભદ્ર ભાષા : જો મને ૧ ગાળ આપશે તો હુ ૧૦ આપીશ...પ્રથમ તમાચો : માફ મને એન્કાઉન્ટરની ધમકી મળી

 રાજકોટઃ તા.૨૯, સુરમાં ગઇકાલે પાટીદાર નેતા અલ્પેશ કથીરીયા અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણના ઘેરા પડઘા પડયા છે . પોલીસે રાજદ્વોહના ગુનામાં જામીન ઉપર છુટેલા અલ્પેશ કથીરીયાની સામે કાર્યવાહી હાથ ધરીયા છે. અલ્પેશ કથીરીયાના ઉગ્રવલણ સામે પણ ભારે નારાજગી  પ્રવર્તે છે.  સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ પોલીસને બેફામ ગાળો આપ્યા બાદ પોલીસ હવે રાજદ્રોહના કેસમાં જામીન રદ કરવા કાર્યવાહી શરુ કરશે ,અલ્પેશ કથીરિયા હવે પોલીસ સામે બાથ ભીડી છે. જામીન પર બહાર આવેલા અલ્પેશે નો પાર્કિંગ જેવા મુદ્દે બબાલ કરી પોલીસને ધમકાવી, મામલો બિચકયો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી, બાદમાં કોર્ટે ૧૫ હજારના જામીન આપ્યા અને છોડી મૂકવા આદેશ કર્યા. હવે પોલીસ અને અલ્પેશ એકબીજા પર આક્ષેપોનો મારો શરૂ કર્યો છે

 સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે જનતાએ નક્કી કરવાનું છે કે પોલીસને બેફામ મા-બહેનની ગાળો આપનાર ટપોરીઓનો સાથ આપવો છે કે કાયદાનું રક્ષણ કરતાં પોલીસનો. અલ્પેશ અને તેની ટીમ દ્વારા પોલીસને ઉશ્કેરવાના તમામ પ્રયાસો કરાયા છે, પરંતુ અમે કાયદામાં રહીને કામગીરી કરી છે, જયારે અલ્પેશ ખુદ રાજદ્રોહના કેસમાં જામીન પર છે, અલ્પેશને જામીન શરતોને આધિન અપાયા છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેલ બહાર આવી તે કોઇપણ કાયદાનું ભંગ નહીં કરે. આથી સુરત પોલીસે અલ્પેશના રાજદ્રોહના કેસમાં મળેલા જામીન રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કમિશનર સતીશ વર્માએ જણાવ્યું કે અલ્પેશ છડેચોક કાયદાનું ઉલ્લંદ્યન કરી શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યો છે

  બીજી બાજુ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ બાદ જામીન પર છૂટેલા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી પહેલા મને ફસાવવાના પ્રયાસો શરૂ થયા છે. મને એન્કાઉન્ટર કરવા સુધીની પોલીસે ધમકીઓ આપી છે. એટલું જ નહીં પોલીસ મારા પર ખાર રાખી રાજદ્રોહના ગુનાના જામીન રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 સુરતમાં પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની વરાછા પોલીસે ધરપકડ બાદ લોકઅપમાં ધકેલી દેવાયો હતો કાર પાર્કિંગને લઈને ટ્રાફિકના પીઆઈ સાથે ગાળાગાળી કર્યા બાદ અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લવાયો હતો અહીં એક પીએસઆઈને ધમકી આપતા પોલીસે અલ્પેશની ધરપકડ કરી હતી. અલ્પેશે ટ્રાફિક પીઆઈ અને એક પીએસઆઈને ધમકી આપતા અલ્પેશની ધરપકડ કર્યાનું પોલીસનું કહેવું છે ધરપકડની સાથે જ પાસના કાર્યકરોએ વરાછા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો

  અલ્પેશે મીડિયામાં જણાવ્યું હતું કે,  હું બધી ભાષા અને ગાળો બોલું છું. લોકશાહીમાં પીડાતા કોઈ પણ કાર્યકરને જો કોઈ પણ પોલીસ અધિકારી એક પણ ગાળ આપશે તો હું ૧૦ ગાળ આપીશ.  મને ટ્રાફિકના પીઆઈએ એક તમાચો માર્યો છે, પરંતુ અમે ગાંધી અને સરદારના ગુજરાતમાં રહેતા હોવાથી પ્રથમ તમાચો માફ  મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક પોલીસે અલ્પેશ કથિરીયાની બાઇકને ક્રેન પર ચડાવી દેતા અલ્પેશે હોબાળો કર્યો હતો. સામે પક્ષે અલ્પેશે આક્ષેપ કર્યો હતો કે ટ્રાફિક પીએસઆઈએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જે બાદમાં અલ્પેશને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. અહીં અલ્પેશે ભ્ત્ અને ભ્લ્ત્ સાથે અભદ્ર વર્તન કરતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. અલ્પેશની ધરપકડની સાથે જ વરાછા પોલીસ સ્ટેશન ખાતે પાસના કાર્યકરોએ હોબોળા મચાવી દીધો હતો.

(3:37 pm IST)