Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીતનગર જેલમાં યોજાયેલા માનસિક આરોગ્ય કેમ્પનો બંદીવાનો એ લાભ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા જિલ્લાના જીતનગર ખાતે આવેલી જિલ્લા જેલ ખાતે તારીખ 28.10.21ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ માનસિક આરોગ્યના કેમ્પ યોજાયો હતો જેનો બંદીવાનોએ લાભ લીધો હતો બંદીવાનોના માનસિક આરોગ્ય માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના માનસિક આરોગ્ય વિભાગના ડો. પ્રશાંત જરીવાલા, મનોચિકિત્સક વર્ગ 1,સોહિલભાઈ કોઠારી, સાયકીયાટ્રિક સોશિયલ વર્કર, ડિમ્પલબેન તડવી, સાયકીયાટ્રિક નર્સ નાઓએ કેમ્પને લગતી તમામ સેવાઓ પૂરી પાડી હતી,.જેલના કેદીઓને માનસિક આરોગ્ય ને લગતી સેવા મળે તે માટે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો,તેમજ જેલમાં કેદીઓના માનસિક સ્વાસ્થ્ય અને જેલ સ્ટાફના માનસિક સ્વાસ્થ્ય ની જાળવણી માટે પણ સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.

(10:29 pm IST)