Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

સુરતમાં ટુર સંચાલક અઝીમ સૈયદે ઉમરાહ માટે જતા ૧૩૬ મુસ્‍લિમ યાત્રીઓના પાસપોર્ટ ગુમ કરી પ૦ લાખથી વધુ રૂપિયાની ઠગાઇ કરી

સુરતઃ સુરતમાં એક ટુર સંચાલકે 50 લાખથી વધુ રૂપિયાની ઠગાઈ કરી. ટુર સંચાલક અઝીમ સૈયદે પવિત્ર ઉમરાહ કરવા માટે સાઉદી અરબ જતાં 136 મુસ્લિમ યાત્રીઓના પાસપોર્ટ ગુમ કરી દીધા.

31 ઓક્ટોબરે યાત્રીઓની ફ્લાઈટ ઉપડવાની છે ત્યારે તે પહેલા ટુર સંચાલક અઝીમ સૈયદ યાત્રીઓના પાસપોર્ટ લઈ ગાયબ થઈ ગયો છે. ત્યારે યાત્રીઓમાં રોષ ફેલાયો છે. તો બીજી બાજુ અઝીમના પરિવારે ત્રણ દિવસથી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેની ઓફિસ નાનપુરા બદેખા ચકલામાં છે.

(3:09 pm IST)