Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

સુરતના પુણામાં જવેલર્સમાં ત્રાટકેલા તસ્કરોએ 12.34લાખની મતાની ઉઠાંતરી કરી: ગઠીયાઓને શોધવા માટે પોલીસે રાજસ્થાન સુધી તપાસ હાથ ધરી

સુરતઃ પુણામાં વિધાતા જ્વેલર્સમાં ત્રાટકેલા લૂંટારૂઓ કુલ 12.34 લાખ રૂપિયાની મત્તા લૂંટીને ફરાર થઇ ગયા છે. પોલીસે અલગ-અલગ દિશાઓમાં લૂંટારુંઓને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસ વેપારીના વતન રાજસ્થાનમાં પણ તપાસ કરી રહી છે.

મૂળ રાજસ્થાનના ઉદયપુરના પદરાળા ગામનો વતની ઇશ્વર રામલાલજી સોની સુરતમાં પરવત પાટિયા પાસે સિલિકોન પેલેસમાં રહે છે અને સિલિકોન પેલેસમાં ઘરની નીચે વિધાતા જ્વેલર્સના નામે દુકાન ચલાવે છે. શનિવારે રાત્રે પાંચેક લૂંટારૂઓ બાઇક પર આવ્યા હતા. લૂંટારુઓમાં બે વ્યક્તિઓ હેલમેટ પહેરેલી હતી જ્યારે અન્ય ત્રણે મોઢે રૂમાલ બાંધી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. શખ્સોએ વેપારી કંઇ સમજે તે પહેલાં ઇશ્વરને પિસ્તોલ બતાવી રૂ.12.14 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં અને 20 હજાર રૂપિયા રોકડા મળીને કુલ 12.34 લાખ રૂપિયાની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા.

(11:22 am IST)