Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

અમદાવાદના દસક્રોઇમાં ખેતરમાંથી 300 મણ ડાંગરની ચોરી: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

અમદાવાદ: દસક્રોઈ તાલુકાના હીરાપુર ગામમાં આવેલા ખેતરમાંથી 300 મણ ડાંગરની ચોરી થઈ હોવાની ફરિયાદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હીરાપુર ગામની સીમમાં રહેતા ચાર લોકોએ ખેતરમાંથી રાતે ડાંગર કાપી અને પોતાના ઘર પાસે મૂકી દીધું હતું. અમરાઈવાડીમાં આવેલા બળિયાવા રહેતા ઈશ્વરભાઈ પ્રજાપતિની દસક્રોઈ પાસે આવેલા હીરાપુર ગામમાં 50 વિઘા ખેતીલાયક જમીન છે. 6 વિઘામાં ડાંગરનું તેઓએ વાવેતર કરેલું છે. આજે સવારે તેમને ખેતરની સાર સંભાળ માટે રાખેલા વ્યક્તિએ ઈશ્વરભાઈને ફોન કરી જાણ કરી હતી કે ગામની સીમમાં આપણા ખેતરની બાજુમાં રહેતા રાવજીભાઈ, કિરણભાઈ, ભઈજીભાઈ અને સીતાબેન આપણા ખેતરમાંથી રાતે હાર્ડવેસ્ટથી ડાંગર કાપીને તેમના ઘરે લઈ ગયા છે. કાપેલું આશરે 300 મણ ડાંગર તેમના ઘરે પડેલું છે. જેથી ઈશ્વરભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(11:21 am IST)