Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ગીયોડમાં અંબાજી માતાના દર્શન કરી પરત ફરી રહેલ પરિવારને કાળ ભરખી ગયો: ગોઝારા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી

ગીયોડ: ગામે અંબાજી માતાના દર્શન કરી ઘરે પરત ફરતા થયેલા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજયાં છે. ગીયોડ ગામ નજીક બારોટ સાહેબે ફાર્મ પાસે બાઈક પર ત્રણ સવારી જતાં યુવાનોને ઇકો કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક યુવક અને સગીરનું મોત થઈ ગયું હતું જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચિલોડા પોલીસે ગુનો નોંધી કારચાલકને પકડવા તજવીજ શરૂ કરી છે.

ગાંધીનગર જિલ્લાના ગીયોડ ગામમાં આવેલા વડવાળાવાસમાં રહેતા અશોકભાઈ ઠાકોરનો પુત્ર દિપક (ઉ.વ.13), તેમનો ભત્રીજો પ્રકાશ ઠાકોર (ઉ.વ.25) અને તેજા ઠાકોરને બાઈક લઈ નવું વર્ષ હોવાથી ગીયોડ અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત આવતા હતા ત્યારે બારોટ ફાર્મ પાસે ગીયોડ ગામ તરફથી બેફામ સ્પીડે આવેલી ઇકો કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેથી ત્રણેય નીચે પટકાયા હતાં. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા દિપક અને પ્રકાશનું મોત થયું હતું જ્યારે તેજાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

(11:20 am IST)