Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ધાનપુરના પીપોરા પાસે પીકઅપ વાન પલ્ટી મારતા ત્રણ લોકોના કરૂણમોત : બે ગંભીર

દર્શનાર્થે ગોધરા જતા પરિવારને અકસ્માત નડ્યો : ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા અને અમદાવાદ હોસ્પિટલે ખસેડાયા

દાહોદ : દાહોદનાં ધાનપુરનાં પીપોરા પાસે પિકઅપ વાન પલટી ખાઈ જતા ત્રણ લોકોના કરૂણમોત નિપજ્યા છે જયારે તેન લોકોને ગંભીર ઇજા પહોંચી છે પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા 25 લોકોને નાની મોટી ઇજા થઇ છે  સારવાર દરમિયાન 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય બે લોકોની હાલત નાજૂક છે.

               આ અંગે જાણવા મળ્યા મુજબ  ધાનપુર તાલુકાનાં એક ગામનું પરિવાર દર્શનાર્થે પિકઅપ વાનમાં ગોધરા ખાતે જઇ રહ્યું હતું. પીપોરા ગામ પાસે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પિકઅપ વાન પલટી ગઇ હતી.આ વાનમાં 25 જેટલા લોકો સવાર હતા. જેમાં ઇજાગ્રસ્તોને દાહોદની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં.

              આ ઇજાગ્રસ્તોમાંથી બે લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત વધારે ગંભીર હોવાને કારણે વડોદરા તથા અમદાવાદની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાંથી એકનું વધુ મૃત્યુ થયું છે.

(7:39 pm IST)