Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં નુતન વર્ષે મંદિરોમાં ભવ્ય અન્નકુટ ઉત્સવ યોજાયો

ભગવાનને વિવિધ મીઠાઇઓ, ફરસાણ, અવનવી વાનગીઓ સહિત છપ્પન ભોગ અન્નકુટ ધરાવાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ : નુતન વર્ષના પ્રથમ દિવસે વિરમગામ શહેર શહિત પંથકમાં આવેલા અનેક મંદિરોમાં ભગવાનને છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા હતા. નુતન પર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી

    . વિરમગામના ઐતિહાસીક રામમહેલ મંદિરમાં મહંતશ્રી રામકુમારદાસજી બાપુની દિવ્ય પ્રેરણાથી ભગવાનને વિવિધ મીઠાઇઓ, ફરસાણ, અવનવી વાનગીઓ સહિત  છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા હતા. રામ મહેલ મંદિરમાં નુતન વર્ષે ભગવાનની વિશેષ પુજા કરવામાં આવી હતી અને મહા આરતી કરવામાં આવી હતી.

   મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સંસ્થાના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીમહારાજની પ્રેરણા થી નૂતન વર્ષના દિવસે વિરમગામમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ભક્તો એ સાથે મળીને 100 થી પણ વધારે વાનગીઓ બનાવી ભગવાનને ધરાવી હતી. આ ઉપરાંત વિરમગામ શહેરમાં આવેલા  સ્વામિનારાયણ મંદિર, વડલાવાળા મેલડી માતાજી મંદિર સહિતના અનેક મંદીરોમાં અન્નકુટ ઉત્સવની ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 
 
   
(9:08 pm IST)