Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમદાવાદમાં મિશન મિલિયન ટ્રી અભિયાનનું કેન્દ્રીયમંત્રી અમિતભાઇ શાહના હસ્તે સમાપન

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વર્ગીસ ટાવર ખાતે 108 વડના વૃક્ષો વાવી અભિયાનનું સમાપન કર્યું

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે અમિતભાઇ શાહ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.અમદાવાદ ખાતે મિશન મિલિયન ટ્રી અભિયાનનું સમાપન કરાવ્યું હતું  સાયન્સ રોડ પર આવેલા વર્ગીસ ટાવર ખાતે 108 વડના વૃક્ષો વાવી અભિયાનનું સમાપન કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી અને અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યાં.

     અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 જૂનના રોજ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં લીમડો, પીપળો અને જાંબુડાના વૃક્ષોનું વધુ વાવેતર કરવામાં આવ્યું છે. જેને લઇને 120 પ્લોટમાં અર્બન ફોરેસ્ટ શરૂ કરવામાં આવ્યાં. જ્યારે વસ્ત્રાલ ખાતે 20 એકર જગ્યામાં વન અભ્યારણ શરૂ કરાયાં

(1:36 pm IST)