Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

નર્મદા ડેમની જળસપાટી 134.08 મીટરની ઐતિહાસિક સ્તરે પહોંચી :ડેમના 23 દરવાજા 3,70 મીટર ખોલાયા

 

નર્મદાઃદક્ષિણ ગુજરાત અને ઉપરવારસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં ડૅમમાં વિપુલ માત્રામાં પાણીની આવક આવી રહી છે. જેના પગલે સરદાર સરોવર ડૅમની જળસપાટી 134.08 મીટરની ઔતિહાસિક સાપટીએ પહોંચી છે. સાથે સરદાર સરોવર ડૅમના 23 દરવાજા 3.70 મીટર ખોલવામાં આવ્યા છે.ડેમમાંથી 5,71,131 પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે,જ્યારે મેઈન કેનાલમાં 15,080 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

હાલની પરિસ્થિતિએ જોતા આગામી 5 સપ્ટેમ્બર પહેલા નર્મદા બંધ 138.68 મીટર સુધી ભરાઈ જશે એવો આશાવાદ નર્મદા નિગમ ના અધિકારી પણ સેવી રહ્યા છે

(12:28 am IST)