Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર: વલસાડમાં 11 કેસ સહીત જિલ્લામાં 19 કેસ નોંધાયા

વલસાડમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જગતસિંહ વસાવા અને તિથલ શાંતિધામ ના જિનચંદ્રજી મુનિ પણ કોરોના સંક્રમિત

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા 19 કેસ આવ્યા છે. જ્યારે માત્ર 7 દર્દીઓએ રજા મેળવી છે. વલસાડમાં  નગરપાલિકાના ચીફ ઓફિસર જગતસિંહ વસાવા અને તિથલ શાંતિ ધામ ના જિનચંદ્રજી મુનિ પણ કોરોના સંક્રમિત થયા છે. જેને લઈ કોરોનાએ શહેરમાં વરવું સ્વરૂપ ધારણ કર્યું હોય એવું લાગી રહ્યું છે. વલસાડ જિલ્લાના 19 કેસ પૈકી વલસાડ તાલુકામાં11 કેસ, પારડીમાં 1 કેસ અને વાપીમાં 7 કેસ બહાર આવ્યા છે. આજરોજ એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી.

(7:19 pm IST)