Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મેઘરજ તાલુકાના રામગઢી પિશાલ રોડ પર લટકતા વીજતારથી લોકોને અવર જ્વર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી

મેઘરજ:તાલુકાના રામગઢી પિશાલ રોડ પર જમીનથી બે ફુટ અંતરે જીવંત વીજતાર લટકી રહયા છે. રસ્તે હજારો વાહનોની અવર જવર રહે છે.જીવંત વીજ તાર લટકતા હોઈ મોટી હોનારત થઈ શકે છે. આમ મેઘરજ તાલુકામાં યુજીવીસીએલ ની ગંભીર બેદરકારી ના કારણે વીજપોલ ઉપર જીવંત વીજતાર જમીનથી માત્ર બે ફુટે લટકતા હોય જાણે કોઈ મોટી હોનારત ની રાહ જોઈ રહયા છે કે કેમ ? જેથી તંત્રની બેદરકારીને લઈ પંથકના લોકોએ યુજીવસીએલ સામે રોષ ઠાલવ્યો હતો.

મેઘરજ પંથકમાં અઠવાડીયા અગાઉ ભારે પવનથી આસપાસના વિસ્તારોમાં વિજતાર અને વિજપોલ નમી ગયા હતા.જેના કારણે રામગઢી-પિશાલ રોડ પર જમીનથી માત્ર ફુટ ના અંતરે જીવંત વિજતાર લટકી રહયા છે.

(6:16 pm IST)