Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વડોદરાના વાસણા રોડ પર કોરોનાથી મૃત્યુ પામેલ શખ્સના અંતિમ સંસ્કાર અંગે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો

વડોદરા:શહેરના વાસણા સ્મશાનમાં  ગેસ ચિતાનુ સમારકામ ના થાય ત્યાં સુધી કોરોનાથી મૃત્યુ પામનારાઓના અંતિમ સંસ્કારનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

  પ્રકારનો વિરોધ ગોત્રી ગામના સ્મશાનને લઈને પણ થઈ રહ્યો છે.કારણકે ગેસ ચિતાની ચીમનીમાંથી સમારકામના અભાવે મૃતદેહના અંતિમ સંસ્કાર બાદ આસપાસના રહેવાસીઓ ધૂમાડાથી પરેશાન થઈ રહ્યા છે.

દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ જણાવ્યુ હતુ કે, લોકો ચીમનીનુ સમારકામ કરવાની માંગણી કરી રહ્યા હતા પણ તંત્ર દ્વારા ધ્યાન નહીંં અપાતા સોમવારે મધરાતે લોકોએ દેખાવો કર્યા હતા અને કોરોનાના શંકાસ્પદ લક્ષણોથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો.જેના કારણે મૃતદેહને બીજે લઈ જવાની ફરજ પડી હતી.એક તબક્કે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી.

(5:53 pm IST)