Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વડોદરાના આજવા રોડ પર ત્રીસ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:આજવા રોડની સુરભિપાર્ક સોસાયટીમાં રહેતી ત્રીસ વર્ષની પરણિતાએ અગમ્ય કારણોસર ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો છે. જે અંગે બપોરે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરભિપાર્ક સોસાયટીમાં રહેતા નરેશ નગીનભાઇ સોલંકીના લગ્ન વર્ષ પૂર્વે જાગૃતિ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. આજે સવારે ડોગટ્રેઇનર નરેશભાઇ નોકરી પર ગયા હતાં. તેમનો પુત્ર નીચેના રૃમમાં હતો. તથા ભાઇ ભાભી દવાખાને ગયા હતાં. તે દરમિયાન જાગૃતિબેને મકાનના ઉપરના માળે જઇ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. દાંપત્યજીવનમાં કોઇ તકલીફ નહતા તેવા સંજોગોમાં કયા કારણોસર જાગૃતિબેને આપઘાત કર્યોતે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)