Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કપડવંજની હિન્દુ વ્યકિતના શબને સંભાળી, આણંદના મુસ્લિમ ઉલેમા ગ્રૃપએ સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો

આણંદ, તા. ર૯ :  અહીંની એક હિન્દુ વ્યકિત કોરોનાના લીધે મૃત્યુ પામી હતી પણ તેના પરિવારજનો કવોરેન્ટાઇન હોય અહીંના મુસ્લિમ ઉલેમા ગ્રૃપના લોકોએ આ હિન્દુ વ્યકિતના મૃતદેહને સંભાવી સ્મશાનમાં તેની અંતિમવિધિ કરી હોવાની ઘટનાથી કોમી એકતાનું જબરૂ ઉદાહરણ જોવા મળ્યું હતું.  આ મૃતક વ્યકિત ખેડા જિલ્લાના કપડવંજ નિવાસી હતી અને કોરોનાના લીધે મૃત્યુ થતા અન્ય લોકો પણ અંતિમ સંસ્કાર માટે આગળ આવ્યા ન હતા જે પછી ઉલેમા ગ્રૃપના લોકો પીપીઇ કિટ પહેરીને કરમસદ હોસ્પિટલે પહોંચ્યા હતા. અને એમ્બ્યુલન્સમાં શબને આણંદના કૈલાસધામ સ્મશાને લાવી મૃતકના પરિવારજનોને સંતોષ થાયએ રીતે અગ્નિદાહ આપ્યો હતો.

(3:00 pm IST)