Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ભાજપ પોતાના કાર્યકરોને ટિકિટ આપેઃ કોંગ્રેસના પ્રદેશ ઉપનેતા શૈલેષ પરમાર

આઠ વિધાનસભાની પેટા ચૂંટણી

અમદાવાદ,તા.૨૮કોંગ્રેસી ભાજપમાં પક્ષમાં જોડાય કે આપણે જોડવા પડે તેવા સંજોગોને બદલે ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડીને જીતે તેવા ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટિલે કરેલા નિવેદનની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું કે ભાજપ અને તેના કાર્યકર્તાઓમાં એટલી તાકાત હોયતો રાજ્યસભાની ચુંટણી બાદ તરત કોંગ્રેસના રાજીનામા આપેલ ધારાસભ્યોને ભાજપમાં કેમ જોડાયા. આગામી વિધાનસભાની પેટા ચુંટણીમાં પોતાના કાર્યકરોને ઊભા રાખી ચુંટણી લડે.

પરમારે કહ્યું હતું કે ૨૦૧૭ પહેલા ૨૪ ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં.ભાજપમાં જોડાયેલા ૨૨ પૈકી ૧૯ ને ભાજપે ટીકીટ આપી હતી. તેમાંથી ચુંટાયેલા જશાભાઇ બારોટ અને જયેશ રાદડીયાને મંત્રી પદ તેમજ વિઠ્ઠલ રાદડીયા અને પ્રભુભાઇ વસાવાને સાંસદ બનાવ્યાં. ભાજપ પોતાની તાકાત પર લડે અને જીતે તેવી રીતે ભાજપના કાર્યકર્તા માંથી જીતીને ધારાસભ્ય બનેલાઓમાં મંત્રી બનવાની તાકાત નથી.

(10:35 pm IST)