Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

તબીબોના પરિવારને આર્થિક સહાયની માગ

કોવિડ-૧૯માં મૃત્યુ પામેલા

અમદાવાદ,તા.૨૮ : ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના ગુજરાત એકમે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને પત્ર લખી કોરોના વોરીયર્સ તરીકે કામગીરી બજાવતા મૃત્યુ પામ્યાં હોય તેવા ૧૭ જેટલા તબીબોને વળતર આપવું જોઇએ તેવી માંગણી કરી છે.

ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના રાજ્યના પ્રમુખ ડૉ.ચંદ્રેશ જરદોશે મુખ્યમંત્રી રુપાણી ને પત્ર લખી જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ માં તબીબો સતત કાર્યરત છે.કોરોના દર્દીઓની સારવાર કરતાં ૩૫૦ થી વધારે કોરોના વોરિયર્સ સંક્રમીત થયા છે.તેમાંથી સત્તર જેટલા તબીબો મૃત્યુ પામ્યાં છે. સત્તર તબીબો કોરોના વોરિયર્સના પરિવારને શહાદત પેટે પચાસ લાખના વીમા કવચ હેઠળ આવરીને વળતર ચૂકવવામાં આવે. અંગે યોગ્ય કાર્યવાહી કરીને જાણ કરવા વિનંતી છે.

(10:34 pm IST)