Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સુરતના સરથાણામાં ત્રીસ લાખના તોડ પ્રકરણમાં નવો વળાંક :ચાર પોલીસકર્મીઓ થયા સરન્ડર

તત્કાલીન પીઆઇ એન.ડી.ચૌધરી,પીએસઆઇ ગોહિલ અને બે કોન્સ્ટેબલે કોર્ટમાં સરેન્ડર કર્યું

સુરતના સરથાણા પોલીસ કર્મચારીઓ દ્વારા બસના ચેસીસ નંબર મામલે કેસ ન કરવાને લઇને કરેલા 30 લાખના તોડ પ્રકરણમાં સરથાણા તત્કાલીન પીઆઇ એન.ડી.ચૌધરી,પીએસઆઇ ગોહિલ તેમજ બે કોન્સ્ટેબલે સુરત કોર્ટમાં સરેન્ડર કર્યું છે.

  સુરત એસીબી દ્વારા ચારે પોલીસકર્મીઓની કસ્ટડી મેળવી તપાસ શરૂ કરાઇ છે. જેમાં હવે પોલીસ કર્મીઓના રિમાન્ડ મેળવી કેસની તપાસ કરાશે. આ મામલે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

(7:13 pm IST)