Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મ આચરી યુવાને તરછોડી દેતા નરાધમ વિરુદ્ધ તપાસ શરૂ

વડોદરા:શહેરના સયાજીપુરા વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષની યુવતી એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે નોકરી પર જાય ત્યારે સયાજીપુરા એપીએમસી માર્કેટમાં યુનાઇટેડ ફ્રેઇટ કેરીયરની ઓફિસમાં ફરજ બજાવતો અનીલ ચૌધરી પીછો કરતો હતો અને બાદમાં તેણે મોબાઇલ નંબર મેળવી વાતો કરવાનું શરૃ કર્યું હતું.

દરમિયાન બંને વચ્ચે પ્રેમ થતાં અનીલે લગ્ન કરવાની ઓફર કરતાં યુવતીએ પણ હા પાડી હતી. બાદમાં યુવક આજવારોડ ખાતે કમલાનગર ખાતે રહેતા મિત્ર અતુલ સ્વામીના ઘેર લઇ જઇ યુવતી સાથે વારંવાર શરીર સુખ માણતો હતો. જો કે બાદમાં અનીલે લગ્ન કરવાની ના પાડી દેતા આખરે યુવતીએ અનીલ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

(6:38 pm IST)