Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકીનો વાલ્વ બેસી જતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

વડોદરા:માં હાલ પાણીની રામાયણ ચાલી રહી છે અને ખાસ તો પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી પણ મળતું નથી. ક્યારે પાણીની લાઈનના લિકેજને કારણે અને વાલો બેસી જવાના લીધે હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે અને પાણી ગટરમાં નકામાં વહી જાય છે

કારેલીબાગ પાણીની ટાંકીની સામે 18 ઇંચની લાઈનો પાણીનો વાલ્વ બેસી ગયો હતો. જેથી, રીપેરીંગ માટે પંપ મૂકીને સૌ પહેલા સવારથી પાણી ઉલેચવાનું શરૂ કરાયું હતું બપોરે એક વાગ્યા સુધી એટલે કે ચાર કલાકથી પંપ ચાલુ રહેતા હજારો લીટર પાણી ઉલેચીને ગટરમાં વહેવડાવી દીધું હતું. પંપ સતત ચાલુ રહેવાના કારણે વગર વરસાદે રોડ પર જળબંબાકારના દ્રશ્યો જોવામળ્યા હતા લાઈન ખાલી થયા બાદ રીપેરીંગ ચાલુ કરવામાં આવ્યું હતું

(6:38 pm IST)