Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

ગુજરાતે દિગ્ગજ ખેડૂત નેતા ગુમાવ્યા : વિઠ્ઠલભાઇને પદાધિકારીઓએ શ્રદ્ધાંજલી પાઠવી

રાજકોટ, તા. ર૯ : ગુજરાત રાજયના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ શ્રી વિઠલભાઈ રાદડિયાનું અવસાન થતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમારએ ઊંડા દુઃખની લાગણી વ્યકત કરેલ છે.

પદાધિકારીશ્રીઓએ જણાવેલ છે, શ્રી વિઠલભાઈ રાદડિયાના અવસાનથી ગુજરાત રાજયને એક દિગ્ગજ નેતાની ખોટ સાલસે. તેઓ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવા સદા તત્પર રહેતા. એક ખેડૂત નેતા તરીકે તેઓએ ગુજરાત રાજયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરેલ. તેઓ લોકોના નાનામાં નાના પ્રશ્ને સતત જાગૃત રહેતા. શ્રી વિઠલભાઈ રાદડિયા વર્ષ ૧૯૯૪ થી ૨૦૦૯ સુધી વિધાનસભાના સભ્ય તરીકે તેમજ વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી પોરબંદરના સાંસદ સભ્ય તરીકે અને વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૩ સુધી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયેલ હતા. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવાર આવી પડેલ દુઃખ સહન કરવાની શકિત આપે.

(3:55 pm IST)