Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગરથી સીધા શહીદના પરિવારના ઘરે પહોંચ્યા

પ્રથમ વાર્ષિક તિથિએ યાદગાર કાર્યક્રમ યોજવા સરકારને સૂચન

રાજકોટ તા. ર૯ : વડોદરાના આરીફખાન પઠાણ પાકિસ્તાન સરહદે શહીદ થતા વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગરથી વડોદરા પોતાને ઘરે જતા પૂર્વે શહીદ પરિવારના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા આરીફખાણ પઠાણની શહાદત વખતે વિધાનસભા સત્ર ચાલુ હોવાથી તેઓ વડોદરા જઇ શકેલ નહિ તેથી સત્ર પુરૂ થતા તુરત પહોંચ્યા હતા.શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આરીફખાન પઠાણની જવામર્દીને બીરદાવી શ્રદ્ધાંજલી અર્પી હતી. તેમણે આવતા વર્ષે રર જુલાઇએ શહીદની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે શહીદોને સ્મરણાંજલીરૂપ કાર્યક્રમ યોજવા સૂચન કર્યું હતું.

(12:17 pm IST)