Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ગાંધીનગર નજીક દીકરીએ માતા-પિતાના ખોરાકમાં ઝેર નાખી મોતનેઘાટ ઉતાર્યા

ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણમાં એક મહિના અગાઉ શ્રમજીવી પરિવારમાં પતિ, પત્નિ અને પુત્રને ઝેરની અસરના કારણે સારવાર માટે ખસેડાયા હતા જેમાં પતિ પત્નિનું મોત નીપજયું હતું. જ્યારે તપાસમાં જમવામાં ઝેર હોવાના કારણે તેમનું મોત થયાનું ખુલ્યું હતું. ત્યારે તપાસમાં નવો વળાંક આવ્યો છે જેમાં સગી દીકરીએ જ માતા પિતા ચારિત્ર્ય ઉપર શંકા કરતાં હોવાથી જમવામાં ઝેરી ઘોળવાની કબુલાત કરી હતી. ભાઈની ફરિયાદના આધારે સગીર બેન સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.   ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણમાં નવા બની રહેલા મોલની બાજુમાં છાપરુ બાંધીને રહેતાં શ્રમજીવી પરિવારે એક મહિના અગાઉ બનેલી ઘટના મુજબ રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સુઈ ગયો હતો. દરમ્યાનમાં વહેલી પરોઢે પરિવારના સભ્યોની તબિયત લથડી હતી અને મોઢામાંથી ફીણ આવતાં આડોશ પાડોશના વ્યક્તિઓ જાગી ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સૌ પ્રથમ ૪ર વર્ષીય મહિલાએ દમ તોડયો હતો. ત્યારબાદ તેમના પતિ પણ મોતને ભેટયા હતા. જ્યારે યુવાન પુત્રને દવાની અસર થતાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. 
 

(5:54 pm IST)