Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સુરતમાં ઝાકીર તરકી પહેલા યુવતિઓને પ્રેમજાળમાં ફસાવતો બાદમાં દેહ વ્‍યાપારમાં ધકેલતોઃ પતિ-પત્નીની ધરપકડ

સુરત: શહેરના પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી છેલ્લા ત્રણ માસથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હીત. બે દિવસ અગાઉ તેનો અજાણ્યા ફોન નંબર પરથી પિતાનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ડીસીબી પોલીસે નંબરના આધારે તપાસ કરતા સગીરા અંકલેશ્વરમાં હોવાનું સામે આવ્યું હતું. સગીરાની પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે, ઝાકીર નામનાં યુવાને પહેલા તેને પ્રેમ ઝાળમાં ફસાવી અને ત્યાર બાદ તેને દેહ વ્યાપારમાં ધકેલી હતી. પોલીસે હાલ ઝાકારીની શોઘખોળ હાથ ધરી છે.

પોલીસ દ્વારા ઝાકીર ઇસ્માઇલ તરકી અને તેની પત્ની સના ઉર્ફે સુમૈયાની પણ અંકલેશ્વર ખાતેથી ધરપકડ કરી હતી. બંન્ને કિશોરો પાસે દેહ વ્યાપાર કરાવતા હતા. પુણા પોલીસ મથક હેઠળ વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ પત્નિ બંન્ને નોકરી કરે છે. તેમની ત્રણ પુત્રી, એક પુત્રી સાથે જીવન ગુજારી રહ્યા હતા. દરમિયાન 14 વર્ષિય દીકરી ત્રણ મહિના અગાઉ ઘરેથી વસ્તુ લેવા જવાનું કહીને નિકળી ગઇ હતી. જો કે લાંબા સમય સુધી પરત નહી ફરતા તમામ સ્થળો પર તપાસ કરવા છતા તે પરત ફરી નહોતી. આખરે પુણા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરાવી હતી.

દરમિયાન ગત્ત 21 મેના દિવસે રાત્રીના સમયે ગુમ મીનાએ પિતાના મોબાઇલ ફોન પર સંપર્ક કરીને જણાવ્યું કે, હું ફસાઇ ગઇ છું. મને ક્યાં રાખવામાં આવી તેની માહિતી નથી. ત્યાર બાદ ફોન કટ કરી નાખ્યો હતો. સગીર પુત્રીનાં ગુમ થવા અંગે ડીસીબી પોલીસેમોબાઇલ ફોન નંબરનાં આધારે પગેરૂ શોધતા ગુમ થયેલી મીના અંકલેશ્વર ખાતેથી મળી આવી હતી. પોલીસે તેને ઝડપી લઇને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.

(5:28 pm IST)