Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

કાલે અમિતભાઇ શાહનો નારાણપુરાથી મેગા રોડ શો : 1100થી વધુ પોલીસજવાનો તૈનાત:ચુસ્ત બંદોબસ્ત

 

અમદાવાદ ;ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ લોકસભામાં ઉમેદવારી પત્રક ભર્યા પછી પહેલી રેલી અમદાવાદમાં કરશે. 30મી માર્ચના રોજ અમિત શાહ નારણપુરાથી 4 કિલોમીટરની રેલી કાઢશે. રેલી માટે પોલીસ બંદોબસ્ત ઉભો કરી દેવામાં આવ્યો છે

  અમિતભાઇ શાહની અમદાવાદની રેલીમાં 1100થી પણ વધારે પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવશે. પોલીસ બંદોબસ્તમાં 01 આઈજી, 03 ડીસીપી, 04 એસીપી, 10 પીઆઇ, 80 પીએસઆઈ, 1100 પોલીસ કર્મચારીઓનો ફોજ ખડકવામાં આવશે. અમિત શાહની રેલી જે રૂટ પર જવાની છે ત્યાં પોલીસ બંદોબસ્ત આજથી જ ચાંપતો કરી દેવામાં આવ્યો છે.

(12:40 am IST)