Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

આપ દ્વારા ગુજરાતના ત્રણ ઉમેદવાર જાહેર :પાટણથી અતુલ પટેલ સુરેન્દ્રનગરથી જેઠા પટેલ અને અમરેલીથી નાથાલાલ સુખડિયાને ટિકિટ

 

અમદાવાદ :આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતના ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છેપાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં પાટણથી અતુલ પટેલ અને સુરેન્દ્રનગરથી જેઠા પટેલને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અમરેલીથી નાથાલાલ સુખડિયાને ટિકિટ આપવામાં આવી છે.

અતુલ પટેલ તિલક એજ્યુકેશન ચેરિટેબલ ટ્ર્સ્ટ નામનું NGO ચલાવે છે અને લાંબા સમયથી AAP સાથે જોડાયેલા છે.

જેઠા પટેલ 14 જાન્યુઆરીના રોજ AAPમા જોડાયા હતા. પહેલા તેઓ ભારતીય કિસાન સંઘમાં સ્ટેટ વાઇસ પ્રેસિડન્ટ હતા, ત્યાંથી તેમણે રાજીનામું આપ્યું હતું.

જ્યારે નાથાલાલ સુખડિયા RTI એક્ટિવિસ્ટ છે

(12:19 am IST)