Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સુરતમાં 100 રૂપિયાની રકમમાં આધેડે જીવ ગુમાવ્યો: યુવાને માથે લાકડાના ફટકા મારી ઊંઘમાં કરપીણ હત્યા કરી

સુરત,:વેડરોડ પંડોળમાં આધેડની હત્યા તેણે યુવાન પાસે પડાવી લીધેલા રૂા.૧૦૦ના કારણે થઇ હતી. કામની શોધમાં બોટાદથી આવેલા યુવાને માથે લાકડાના ફટકા મારી આધેડને ઉંઘમાં જ પતાવી દીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા વિસ્તારમાં અગાઉ પરિવાર સાથે રહેતા ખોડાભાઈ વિરાભાઇ બાબરીયા (ઉ.વ.૪૫) અને તેમનો પુત્ર અશ્વિન (ઉ.વ.૨૨) બંને કતારગામ જેરામ મોરારની વાડીમાં હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. 

પિતા પુત્રને પરિવાર સાથે વિખવાદ થયો હોય તેઓ વેડરોડ પંડોળ ગેટ નં. ૨ પ્લોટ નંબર ૯૬ બાપાસીતારામ બિલ્ડિંગમાં સુવા માટે જતા હતા.ખોડાભાઈ ત્રીજા માળે ખાતા નં.૩૦૧,૩૦૨ ની લોબીમાં સુતા હતા. જ્યારે તેમનો પુત્ર અશ્વિન બિલ્ડીંગની અગાસીમાં સુતો હતો.

(5:18 pm IST)