Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વડોદરાના મકરપુરામાં જર્જરિત ઇમારતની બાળકની તૂટી પડતા મહિલા સહીત બેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

વડોદરા:શહેરના મકરપુરા, પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ત્રણ માળની જર્જરિત ઇમારતના ત્રીજા માળની બાલ્કની આજે સવારે તૂટી પડી હતી. જેના કારણે દોડધામ મચી ગઇ હતી. ઇમારતના ત્રીજા માળે રહેતા એક મહિલા અને એક પુરૃષ બાલ્કનીમાં જ ઉભા હતા અને તેઓ બાલ્કનીના સ્લેબ સાથે ત્રીજા માળેથી નીચે પટકાતા બન્નેને ગંભીર ઇજાઓ થતાં હાલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રતાપનગર રોડ પર વિહાર ટોકીઝની બાજુમાં આવેલ સાંઇનાથ ચેમ્બરના ત્રીજા માળની બાલ્કનીનો સ્લેબ આજે સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં તૂટી પડયો હતો. આ સ્લેબ તૂટયો ત્યારે કિરણભાઇ બકાભાઇ પંચોલી (ઉ.૫૦) અને પન્નાબેન કલ્પેશભાઇ પટેલ (ઉ.૪૪) બાલ્કનીમાં જ ઉભા હતા અને આ બન્ને સ્લેબ સાથે ત્રીજા માળેથી નીચે પટકાયા હતા.

(5:18 pm IST)