Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વડોદરા: 24 કલાકમાં આપઘાતના બનાવમાં સતત વધારો: અગમ્ય કારણોસર ધો.8ની વિદ્યાર્થિનીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:શહેરમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન આપઘાતના ત્રણ બનાવ નોંધાયા છે. જેમાં માંજલપુર વિસ્તારમાં રહેતી ધો.૮ની કિશોરવયની વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ આવુ પગલુ કેમ ભર્યુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે આ દરમિયાન માણેજા ગામની સીમમાં યુવકે ઝાડ સાથે દોરી બાંધીને ફાંસો ખાઇ લીધો હતો તો કાપડીપોળમાં રિક્ષા ચાલકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે,

પ્રથમ બનાવની વિગત એવી છે કે માંજલપુર, સ્પંદન સર્કલ સામે શ્રીજી કોમ્પલેક્સમાં રહેતી૧૩ વર્ષની સ્નેહા ઐયરે પોતાના ઘરના બેડરૃમમાં બુધવારે સાંજે ૫.૩૦ થી ૬ વાગ્યા દરમિયાન પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. સ્નેહા ધો.૮માં અભ્યાસ કરતી હતી. તેની માતા સુનિતાબેન ઐયર મકરપુરા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સુનિતાબેન કાલે સાંજે ૫.૩૦ વાગ્યે ચીજ વસ્તુની ખરીદી માટે ઘરની બહાર નીકળ્યા અને ૬ વાગ્યે પરત ફર્યા આ ૩૦ મિનિટના ગાળામાં જ સ્નેહા ફાંસો ખાઇ લીધો હતો. સ્નેહાના આપઘાત પાછળનું કારણ હજુ જાણી શકાયુ નથી.

(5:14 pm IST)