Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વડગામ તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ ચેલાભાઇનું અકસ્માતમાં કરૂણમોત ;પત્ની સંતોકબેનને ઇજા

પિલુચા નજીક સરસ્વતી નદીના પુલ પાસે ઈક્કો ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાદંપતી ખંડિત

વડગામ કોદરામના વતની અને વડગામ તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ ચેલાભાઈ કાંનજીભાઈનું પીલુચા સરસ્વતી નદીના પુલ પાસે અકસ્માતમાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

   આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મંગળવાર સાંજે પિલુચા ગામ નજીક સરસ્વતી નદીના પુલ પાસે ઈક્કો ગાડી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જેમાં સવાર કોદરામના વતની ચેલાભાઈ કાંનજીભાઈ ચૌધરીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્ની સંતોકબેનને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતક ચેલાભાઈ ચૌધરીના મૃતદેહનું પી.એમ.વડગામ રેફરલ હોÂસ્પટલ ખાતે કરાયું હતું.

(1:23 pm IST)