Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

નડિયાદના મંજીપુરાની ત્રિવેણી સો મિલમાં અચાનક આગ ભભૂકી

પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ પહોંચ્યું :સેફટી સુવિધાના અભાવને કારણે આગ વિસ્તરી

નડિયાદ : શહેરના મંજીપુરા પાસે એક સો મિલમાં આગ ભભૂકી ઉઠી છે આ આગનો કલાકોની જહેમત બાદ નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવાયો હતો જોકે  આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

    શહેરના મંજીપુરા પાસે આવેલી ત્રિવેણી સો મિલમાં ગુરૂવારે વહેલીસવારે અચાનક આગ લાગી હતી. આ આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.

  આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જો કે, સો મિલમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે ફાયરબ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં આગ વિસ્તરી હતી.

(12:57 pm IST)