Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

જો પાટીદાર યુવાનને ટિકિટ આપશે તો સમાજ તેની સાથે ઉભો રહેશે પછી એ ભાજપ હોય કે કોંગ્રેસ:અલ્પેશ કથીરિયા

 

સુરત :રાજદ્રોહ કેસમાં જામીન રદ થયા બાદ જેલવાસ ભોગવી રહેલા પાસ નેતા અલ્પેશ કથીરિયાને કેસ મુદત સંદર્ભે સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં અલ્પેશે જણાવ્યું કે જે પાટીદાર સમાજના યુવાનને ટિકિટ આપશે તેની જોડે પાટીદાર સમાજ ઉભો રહેશે. તે ભાજપ હોય કે પછી કોંગ્રેસ

    પાસ નેતા અલ્પેશ કથીરિયાના રાજદ્રોહ કેસમાં ફરી જામીન રદ થતા જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. છેલ્લા બે માસથી અલ્પેશ રાજદ્રોહ કેસમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે. વરાછા પોલીસ મથકમાં પોલીસ અધિકારી સાથે ગેરવર્તન અને સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલ કેસ બાદ અલ્પેશ રાજદ્રોહ કેસમાં જામીન રદ કરવામાં આવ્યા છે. અલ્પેશ રાજદ્રોહ કેસમાં મળેલ શરતી જામીનનો ભંગ કરતો હોય જામીન રદ કરવા સુરત પોલીસે સેશન કોર્ટમાં અરજી કરી હતી

(12:32 am IST)