Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સુરતના અમરોલીમાં ઝઘડો થતા પત્ની પિયર ચાલી જતા નાસીપાસ થયેલ પતિએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના અમરોલીમાં પત્ની સાથે ઝગડો થયા બાદ પત્ની પિયર જતી રહેતા નાસીપાસ થયેલા યુવાને ગઈકાલે બપોરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું જ્યારે અડાજણમાં ગળામાં ગાંઠ હોવાથી કંટાળી જઈને પાલિકાના સફાઈ કામદારે ગઈકાલે સાંજે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ રોડ પર મનીષા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય ચેતન ચંદુભાઈ બસુ ગઈકાલે બપોરે ઘરમાં છતના લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ચેતનના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે 20 દિવસ પહેલા ચેતન અને તેમની પત્ની વચ્ચે રકઝક થઈ હતી. જેથી તેમની પત્ની પિયર જતી રહી હતી. ઉપરાંત નાણાકીય તકલીફ પડતી હોવાથી પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. તે સુથારી કામ કરતા હતા. અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:27 pm IST)