Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સુરતના લિંબાયતમાં બંધમાં અસામાજિક તત્વોનો પોલીસ પર પથ્થરમારો : ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

મુસ્લિમ સમુદાય દ્વારા બંધનું એલાન અપાયું છે

સુરત,તા.૨૯: લિંબાયત વિસ્તારમાં સીએએના વિરોધમાં પોલીસ પર કાંકરીચાળો કરવામાં આવ્યો. લિંબાયતમાં મુસ્લિમ સમુદાય દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. જે દરમ્યાન કેટલાક અસામાજિક તત્વોએ કાંકરીચાળો કર્યો હતો. ત્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આજે CAA અને NRC ના વિરુદ્ઘમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના વિરોધમાં સુરતના ચોંટા બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને બંધ ન રાખવા અપીલ કરવામાં આવી હતી.

(4:01 pm IST)