Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

ગુજરાત કોંગ્રેસે રણનીતિ બદલી :ઉમેદવાર છેલ્લીઘડીએ જાહેર કરશે !?

કોંગ્રેસ ઉમેદવારના દમ પર નહીં પણ પક્ષના દમ પર ચૂંટણી લડશે: બે દિવસ સંગઠન અંગે જ ચર્ચા થઇ :રાજીવ સાતવ

અમદાવાદ :ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈ રણનીતિ બદલી છે. જાણવા મળ્યા મુજબ ઉમેદવાર વહેલા જાહેર કરવાની રણનીતિ બદલી છે અને હવે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર જાહેરાત છેલ્લી ઘડીએ જ કરાશે

   પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવારના દમ પર નહીં પણ પક્ષના દમ પર ચૂંટણી લડશે. ભાંગફોડ અને તડજોડની રણનીતિથી બચવા પ્રભારી રાજીવ સાતવે નવી રણનીતિ તૈયાર કરી છે. તેમણે કહ્યું કે બે દિવસની મિટિંગમાં સંગઠન અંગે જ ચર્ચા થઈ છે. અને સંગઠન અને બુથ મજબૂત કરવા પક્ષના તમામ લોકોને સૂચના આપવામાં આવી છે.

(12:05 am IST)