Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

તમારા આંતરિક વિવાદોથી અમારે કોઈ લેવાદેવા નથી : મારે લોકસભા ચૂંટણીમાં પરિણામ જોઈએ:રાજીવ સાતવ

પ્રભારીએ કોંગ્રેસના આગેવાનોને ઝાટકી નાખ્યા:મતભેદ ભૂલવા આપી સલાહ

અમદાવાદ :લોકસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અમદાવાદની મુલાકાત વેળાએ અમદાવાદના કોંગ્રેસના આગેવાનોની ઝાટકણી કાઢી હતી એક ધારાસભ્યે પક્ષ વિરોધી કામ કરતા લોકોને કાઢી મૂકવાની જીદ્દ કરી હતી. ત્યારે પ્રભારીએ જૂની તમામ વાતો ભૂલી જવાની સલાહ આપી હતી.

આ અંગે સાતવે  જણાવ્યું કે, તમારા આંતરિક વિવાદોથી અમારે કોઈ લેવાદેવા નથી. મારે લોકસભાની ચૂંટણીનું પરિણામ જોઈએ. અને વિવાદને ખતમ કરીને લોકસભાની બેઠકો માટે નામ આપવાની સલાહ આપી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી રણનીતિ શરૂ કરી દીધી છે. પ્રભારી રાજીવ સાતવે અમદાવાદની લોકસભાની બેઠક માટેની સમીક્ષા બેઠક બોલાવી હતી  મળતી માહિતી પ્રમાણે, આ બેઠકમાં અમદાવાદના કોંગ્રેસના દાવેદારોના નામની કોઈ ચર્ચા હજુ સુધી કરવામાં આવી નથી. ત્યારે પ્રભારીએ કોંગ્રેસના આગેવાનો પાસેથી દાવેદારોના નામની પેનલ માંગી છે.

(11:10 pm IST)