Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

અમદાવાદના વાસણામાં માલિકના ઘરે આત્મહત્યા કરનાર સગીરાનો મૃતદેહ લઇ પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો

અમદાવાદ: શહેરના વાસણામાં માલિકના ઘરે ઘરકામ કરવા ગયેલી સગીરાના આપઘાતના ચકચારભર્યા બનાવમાં પોલીની કાર્યવાહીથી નારાજ પરિવારજનો સગીરાનો મૃતદેહ લઈને મોટી સંખ્યામાં વાસણા પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. પરિસ્થિતી વણતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં આરોપી ચિરાગ શાહ સામે દુષ્કર્મ અને દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવતા સગીરાના પરિવારજનો શાંત થયા હતા અને મૃતદેહ અંતિમવિધી માટે લઈ ગયા હતા.

(5:22 pm IST)