Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

પદ્માવત ફિલ્મના વિરોધમાં તોડફોડ મામલે આરોપી રાજેન્દ્રસિંહના શરતી જમીન મંજુર ;રિમાન્ડ માંગણી ફગાવાઈ

 

અમદાવાદ ;પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શનો -તોડફોડ મામલે ધરપકડ કરાયેલા આરોપી રાજેન્દ્રસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કોર્ટે રાજેન્દ્રસિંહના શરતી જામીન મંજૂર કર્યા છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા થિએટરોમાં થયેલી તોડફોડના કેસમાં રાજેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાંચે રાજેન્દ્રસિંહના વધુ દિવસના રીમાન્ડની માંગ કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી જો કે રાજેન્દ્રસિંહ વાઘેલાના ગ્રામ્ય કોર્ટે શરતી જામીન મંજુર કર્યા હતા. જેમાં મહિનાની પહેલી તરીકે કોર્ટમાં હાજર રહેવું અને પાસપોર્ટ જમા કરવો.જેવી શરતો છે

(10:47 pm IST)