Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વડોદરાના ડભોઇની ભીમરાવ આંબેડકર છાત્રાલયમાં ભોજન બાદ 72 બાળકોને ફૂડ પોઈઝિંગની અસર ;રેફરલ મેડિકલ ટીમ દોડી

વડોદરાઃ ડભોઈના ભીમરાવ આંબેડકર છાત્રાલયમાં ભોજન બાદ 72 જેટલા બાળકોને ફૂડ પોઈઝિંગની અસર થતા તમામને સારવાર માટે ખસેડાયા છે જાણવા મળતી વિગત મુજબ, વડોદરાના ડભોઇની ભીમરાવ આંબેડકર છાત્રાલયમાં ગઈ કાલે રાત્રિ ભોજન બાદ 72 બાળકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હતી. ભોજન બાદ એક પછી એક બાળકને ઊલટીઓ થતાં તમામને મેડિકલ સારવાર અપાઈ રહી છે. રેફરલ મેડિકલ ટીમ દ્વારા ડભોઇ આંબેડકર છાત્રાલયની મુલાકાત લઈ તપાસ કરવામાં આવી રહી છે. ફૂડ-પોઇઝનિંગની અસર કયા કારણથી થઈ છે એની તપાસ ચાલુ છે.

(8:33 pm IST)