Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

નડિયાદમાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનના તાળા તોડી લાખોની મતાનો હાથફેરો

નડિયાદ:શહેરના ડભાણ રોડ ઉપર આવેલ એક ફ્લેટના મકાનનું તાળુ તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. આ બનાવ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શહેરના ડભાણ રોડ ઉપર આવેલ યોગીનગર સીમમાં બેવલી હીલર્સ ફ્લેટ આવેલ છે.  ફ્લેટમાં નીરજ ધીરજભાઈ શુક્લ રહે છે. તેઓ ગત્ તા.૨૫મી જાન્યુઆરીના રોજ પોતાનું મકાન બંધ કરી બહાર ગામ ગયા હતા.

દિવસ દરમ્યાન કોઈ ચોર ઈસમોએ નીરજભાઈના બંધ મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ આ તસ્કરોએ બેડરૃમમાં મૂકેલ તીજોરીનું તાળુ તોડી તેમાંથી રોકડ રૃપિયા, સોના ચાંદીના દાગીના અને કાડા ઘડીયાળ કુલ મળી રૃા.૧,૦૯,૭૦૦/-ના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

સાંજે નીરજભાઈ પરત પોતાના ઘરે ફરતા ઘરનો દરવાજો ખુલ્લો જોઈ ચોકી ઉઠયા હતા. ત્યાર બાદ અંદર આવી તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. આ બનાવ અંગ નીરજભાઈએ શહેર પોલીસ મથકને જાણ કરતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:51 pm IST)