Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ખેડાના નાયકા-માધુપુર રોડ નજીક નીલગાય આડી આવતા છકડા ચાલકનું ગંભીર ઇજાઓથી મોત

ખેડા:તાલુકાના નાયકા-માધુપુરા રોડ ઉપર નીલગાય આડી પડતા છકડો રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. છકડા ચાલકનું ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ચોટીલા તાલુકાના ધારઈના કાબાભાઈ વાલાભાઈ ભરવાડના લગ્ન ખેડા તાલુકાના નાયકા માધુપુરામાં થયા હતાં. કાબાભાઈ ભરવાડ સાસરીમાં રહી છકડો ફેરવી ગુજરાન ચલાવતો હતો.

ગત તા. ૨૩ જાન્યુ.૨૦૧૮ના રોજ છકડો નં. જીજે ૧૩ વી જી ૩૩૮ લઈ ઘરે જતો હતો ત્યારે નાયકા-માધુપુરા રોડ ઉપર એકાએક નીલગાય દોડીને રોડ ઉપર આવતા છકડાને સાઈડ ઉપર લેવા જતા ગટરમાં ઉતરી ગઈ હતી. જેથી છકડા ચાલકને ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દાખલ કર્યો હતો. જ્યાં આજે કાબાભાઈ ભરવાડ (ઉ. વ. ૪૨ વર્ષ)નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સોગાભાઈ વાલાભાઈ ભરવાડની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:48 pm IST)